આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રી જવાહર ચાવડા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાંજલિ અર્પી હતી.