કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકશાનના પગલે ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેનું વિતરણ આજથી મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ખેડૂત સંમેલન માં કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા...કોંગ્રેસ પર ખેડૂતો ના નામે વોટ બેંક ની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો તો કોંગ્રેસ નેતાઓ ખેડૂતો ના નામે મગર ના આંસુ સારતા હોવાનો પણ આરોપ લગાવ્યા હતા.