દિલ્લીમાં યોજાનારા ભવ્યાતિભવ્ય શપથ સમારોહમાં હાજર રહેવા માટે રાજ્યના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો રવાના થયા છે.ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રવાના થયા હતાં. તેમણે એરપોર્ટ પરથી આજના દિવસને ભાજપ માટે ગૌરવભર્યો દિવસ ગણાવ્યો હતો. સાથે જ આ પાંચ વર્ષની સરકારની કામગીરીને ભારતની પ્રતિષ્ઠાને ઉજ્જવળ બનાવનારી ગણાવી હતી. આ સાથે જ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ પણ રવાના થયા છે.