કુંવરજી બાવળીયા થકી ભાજપ જસદણમાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. ભાજપે કોંગ્રેસ પાસથી જસદણની વિધાનસભાની બેઠક આંચકી લીધી છે. ત્યારે ઈલેક્શનના પરિણામ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીને અભિનંદન આપ્યા હતા. તેઓએ આ જીતને ભાજપની મોટી જીત ગણાવી હતી.