ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 કેસ સામે આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની પુષ્ટિ કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, ગાઁધીનગરમાં સામે આવેલા 13 પોઝીટિવ દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યાં છે. આ તમામ કેસોમાં 12 કેસ વિદેશથી આવેલા છે. એક વ્યક્તિ આંતરિક સંપર્કથી આવ્યો છે. દિલ્હી-જયુપર થઈને સુરતના આ વેપારી ગુજરાત આવ્યા છે. આમ, ગુજરાતમાં માત્ર 12 કેસ બહારથી આવ્યા છે, માત્ર એક જ કેસ આંતરિક સંપર્કથી બન્યો છે.