અમદાવાદના શાહઆલમમાં થયેલા ધર્ષણ મામલે પકડાયેલા 49 પૈકી 13 આરોપીઓ 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિતના આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા આ મુદ્દા પર એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.