અમદાવાદમાં BRTS અકસ્માત મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. AMC ખાતે કોંગ્રેસે સાશકો અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસના નેતાઓએ મેયરની ગેરહાજરીમાં કારોબારી ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું. મૃતકોના પરિવારને રૂ.10-10 લાખ આપવાની માંગ કરી હતી. કોન્ટ્રાકટર સામે પણ કડક પગલાં લેવાની માગ કરી હતી.