ફાગણી પૂનમને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે યાત્રાધામ ડાકોરના રસ્તાઓ ભાવિક ભક્તોની ભીડથી ઉભરાઇ રહ્યા છે. અમદાવાદથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી અને મહુધા થઈ ડાકોર તરફના રસ્તા ઉપર પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ પદયાત્રિકો માટે ઠેર-ઠેર વિસામાની વ્યવસ્થા પણ સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવી છે.