ભ્રષ્ટાચારનો ભરડો દિવસને દિવસે વધી રહ્યો હોય તેમ લાગે છે. મહેસાણા બાયપાસ હાઈવે પર ખારી નદીનો પુલ કે જે માત્ર 6 વર્ષ પહેલા જ હજુ તો બન્યો હતો તે વળી ગયો છે. પુલ વળી જતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ પુલમાં ભ્રષ્ટાચાર થયો એમ કહેવું કે ભ્રષ્ટાચારનો પુલ કહેવો મુશ્કેલ છે. શરૂઆતથી વિવાદમાં રહેલ બાયપાસની કામગીરીમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ફુગ્ગો ફુટ્યો છે.