સુરતમાં બુધવારે પ્રસુતિ બાદ મહિલાનું મોત થયું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા તબીબની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે. જો મહીલા તબીબ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મહિલાનાં મોતનાં બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ નહીં સ્વીકારીને પીએમ રૂમ બહાર ધરણાં પર છે.