હાલ રાજ્યમાં ચાલી રહેલા એલઆરડી મુદ્દે વિવાદો મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અનામતનું કોકડું મુખ્યમંત્રી ઉકેલશે. આ બધું મુખ્યમંત્રી રૂપાણી નક્કી કરશે. આજે અમે મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક કરીશું. મને મળવાની જવાબદારી સોંપી હતી એ મેં પૂરી કરી છે. અલ્પેશ ઠાકોર મુદ્દે તેઓએ કહ્યું કે મને ખબર નથી.