આજે છે મહાશિવરાત્રી અને સોમવારનો પવિત્ર સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યું છે. આજે વિવિધ દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્યા બાદ સળંગ 42 કલાક સુધી મંદીર ખુલ્લુ રહેશે.