ધોલેરા સરના વિકાસની રુપરેખા સાથે સ્થાનિક આગેવાનોને વિકાસની આશા છે. સ્થાનિક યુવાનોને રોજગારની પણ આશા વધી છે. ધોલેરા સરમાં વિકાસ થવાથી સમગ્ર પંથકમાં નવા ઉદ્યોગો આવશે અને સાથે જ ખેડૂતોની ખાલી પડેલી જમીનના પણ ભાવ આવશે તેવો વિશ્વાસ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ધોલેરાના સ્થાનિક આગેવાનો સાથે Zee 24 કલાકે ખાસ વાતચીત કરી.