સુરત મંદીને કારણે વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. આ ઘટના સુરતના યોગીચોક વિસ્તારની છે. આ યુવાન અઢી મહિનાથી બેકાર હતો અને તેણે ઝેરી દવા પીધા પછી ભાઈને વીડિયો મોકલ્યો હતો. આ યુવકનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે.