વડોદરાની મહિલા ઉદ્યોગપતિ ગીતા ગોરડીયાનું કારસ્તાન સામે આવ્યું છે. તેઓએ બોગસ દસ્તાવેજ ઉભા કરી અશાંત ધારાની મંજૂરી મેળવી હતી. તેઓએ તાંદલજા વિસ્તારમાં આવેલ કેસરબાગ સોસાયટીનો પોતાનો બંગલો મુસ્લિમને વેચતા વિવાદ થયો છે.