તંત્ર દ્વારા બપોર સુધીમાં તમામ મૃતદેહો પરિવારને સોંપાઇ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે બીજી તરફ જે મૃત દેહોની ઓળખ નથી થઇ શકી તેવા મૃતદેહોનાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. તેમના ડીએનએ તેમના વાલીઓ સાથે મેચ કર્યા બાદ દેહ તેમને સોંપવામાં આવશે. આગ એટલી ભયાનક હતી કે મૃતદેહોને ઓળખવા મુશ્કેલ થઇ રહ્યા છે.