રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદથી નુકસાન થયેલ પાક અંગેની સહાયમાં સરકારે વધારો કર્યો છે. અગાઉ નુકસાન કરાયેલા સર્વે ઉપરાંત અન્ય વિસ્તારના ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવા સરકારે તૈયારી બતાવી છે. અગાઉ સરકાર દ્વારા 700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું.