24 લોકોનાં મોત, 4 વિસ્તારોમાં કર્ફ્યૂ અને 30 વર્ષ સુધી શાંતિ જાળવનાર પ્રદેશમાં હિંસા. વાત કરી રહ્યા છીએ દેશના રાજધાની દિલ્લીની. CAAના વિરોધમાં દિલ્લીમાં ભડકેલી હિંસા હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જેણે લીધા છે 24 લોકોના ભોગ. હિંસાની ઘટના બાદ હવે રાજનીતિક પાર્ટીઓ પણ પોતાના રાજનૈતિક રોટલા શેકવા મેદાનમાં ઉતરી આવી છે. અશાંતીની આગને ઠારવાના બદલે રાજનૈતિક પાર્ટીઓ આરોપ-પ્રત્યારોપ પર ઉતરી આવી છે.