સુરતમા જાણે દિક્ષા લેવાની સીઝન ચાલી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. વેલેન્ટાઇન ડેના દિવસે એટલે કે આજે એકસાથે આઠ યુવતીઓ દિક્ષા ગ્રહણ કરશે. ત્યારે ગઇકાલે સુરતના નાનપુરા ખાતે આજે ભવ્ય વર્શીદાન સમારોહનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. આ આઠેય યુવતીઓના વર્ષીદાન શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમા ઘોડાગાડી, બળદગાડુ તથા ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. હજ્જારો લોકો આ વર્શીદાન યાત્રામા જોડાયા હતા.