ભારતનો સૌથી મોસ્ટ વોન્ટેડજ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં સંતાઈને આરામથી રહે છે. ભારત જ્યારે પણ પાકિસ્તાન સમક્ષ દાઉદ ઈબ્રાહિમના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવે છે ત્યારે દરેક વખતે પાકિસ્તાન દાઉદ તેના દેશમાં રહેતો નથી તેવું જણાવે છે. મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 25 વર્ષથી ફરાર છે અને પાકિસ્તાનમાં રહીને તે ભારત વિરુદ્ધ દરરોજ નવા કાવતરા ઘડતો રહે છે. જોકે પાકિસ્તાનના ખાટા દાવાઓની પોલ ફરી એક વખત ઉઘાડી પડી ગઈ છે.