સમુદ્રકાંઠાવાળા રાજ્ય ઓડિશામાં સાઈક્લોન ફાનીના કારણે વરસાદ અને ઝડપથી ફૂંકાતા પવન વચ્ચે સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે અને લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ તોફાન પુરીના દરિયાકાંઠે શુક્રવારે સવારે સાડા નવ કલાકે ટકરાય તેવી પૂરી શક્યતા છે. અત્યંત પ્રચંડ ચક્રવાત ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે અને તે અંદાજિત સમય બપોરે 3 વાગ્યાથી ઘણું વહેલું સવારે જ દરિયાકાંઠે ટકરાશે.