આવતીકાલે બજેટસત્રમાં નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલ રાજ્યસરકારનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે જેને લઈને બનાસકાંઠાના પાલનપુરના ખેડૂતો સરકાર પાસે બજેત ખેડૂતલક્ષી હોય તેવી અપેક્ષા રાખી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરે તો ખેડૂતોને પોષણસમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરે અને ખેત ઓજારોમાં લગાવેલી GST ઓછી કરે તો પશુપાલનનો વ્યવસાયને વેગ મળે તેવું આયોજન કરે જેથી ખેડૂતો સમૃદ્ધ બની શકે.