મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી કરીને વીમા કંપનીમાં ભરેલા પ્રીમિયમની સામે વળતર મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત સમય મર્યાદામાં અરજી કરવામાં આવી હતી.તેમ છતાં પણ વીમા કંપનીએ ખેડૂતોને "નિયત સમયમાં અરજીઓ કરવામાં આવી નથી" તેવી નોટિસ ફટકારી છે જેથી કરીને રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા હાલમાં હળવદના મામલતદારને આવેદનપત્ર પાઠવીને જો સાત દિવસની અંદર વીમા કંપની તરફથી હકારાત્મક જવાબ નહી મળે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.