આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો રદ કરવા તેમજ આપેલ લાભો પરત લેવા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા આદિવાસી સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અન્ય લોકોને સરકારે ખોટા પુરાવાના આધારે પ્રમાણપત્રો આપ્યા હોવાના આક્ષેપ સાથે પ્રમાણપત્રો રદ કરવા અને આપનાર લેનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની કરી માંગ કરી હતી.