વડોદરાની નેશનલ કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ હજી સુધી કાબૂમાં આવી નથી. ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું છે. ફાયર બ્રિગેડના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે1 નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગ કાબૂમાં નહિ આવે તો બિલ્ડિંગ તોડી પડાશે. સ્થાનિક કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરને કંપની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરીશ. 10થી વધુ ગાડીઓનો ફોર્મનો મારો ચલાવ્યા બાદ પણ આગ કાબુમાં આવી નથી. કંપનીના સંચાલકોના સંબંધીઓ કંપની પર આવી પહોંચ્યા હતા. રહેણાક વિસ્તાર હોવાથી રહેવાસીઓને સતર્ક કરાયા છે. કેમિકલને કારણે વાતાવરણમાં કેમિકલની સ્મેલથી લોકો પરેશાન થઇ ગયા છે.