અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઇવે ન.8 પર પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગી હતી. અકસ્માત થયેલ ટ્રકમાં રહેલ પ્લાસ્ટિક વેસ્ટ કોઈ લેવાના આવતા આઈ.આર.બી.ના અધિકારીઓએ આગ લગાવી હતી. પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગતા હાઇવે ઉપર ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. રોડ ઉપર પડેલ પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા આગ લગાવી હોવાનું અધિકારીઓએ બહાનું કાઢ્યું હતું.