ભાવનગર જિલ્લાના મહુવામાં છેલ્લા 11 વર્ષથી ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા "ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી" ની અકલ્પનીય પ્રવૃતિ કરવામાં આવે છે, સવારે 6 વાગે ભૂખ્યાને ભોજનનું સેવા કાર્ય શરૂ થાય છે, જે સાંજે 8 વાગે બંધ થાય ત્યાં સુધીમાં અંદાજે 1000 થી વધુ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ભોજન પહોચાડવામાં આવે છે.