LRD મામલે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, LRDનો પ્રશ્ન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટથી સરકાર ઉપરી નથી. બિન અનામત વર્ગને અન્યાય ન થાય તેની ફરજ સરકારની છે. જો કુંવરજી બાવડીયા અને ભરત સિંહ ડાભીએ તેમના સમાજ સાથે જઈ શકે તો આપણા નેતા કેમ ન જઈ શકે? જેમ જેમ આંદોલન થશે તેમ તેમ ભાજપના નેતાઓ પણ અહીંયા આવશે.