અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આપઘાત કર્યો. લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં આપઘાત કર્યો. આર્થિક સંકડામણથી આપઘાત કર્યાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાની જાણકારી મળી રહી છે. હાલ અમરેલી જિલ્લા પંચાયતન ચાલુ સદસ્ય કેસૂર ભેડાના આપઘાતથી કોંગ્રેસમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લીલીયા પંથકમાં આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડા હતા.