અમરેલી જિલ્લામાં અવિરત મેઘમહેરથી ઈશ્વરે જગતના તાતને ખુશખુશાલ કરી દીધા છે, પણ કપાસ અને મગફળી સિવાય તલના પાકને સતત વરસાદને કારણે ભારે નુકસાન થયું છે... સતત વરસાદથી તલના પાક કાળા પડી જતાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે...