એલ.આર.ડીની મહિલાઓ અને માલધારીઓના ચાલી રહેલા આંદોલનને લઈ સરકાર ચિંતિત દેખાઇ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આજે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.