ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનીના પુત્રનો જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનો પુત્ર છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. 23 વર્ષના જયરાજે પોતાના પિતરાઈ ભાઈને હું આત્મહત્યા કરવા જઉં છું તેવો છેલ્લો મેસેજ આપ્યો હતો. તેના બાદ તેણે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.