રાજકોટ માર્કેટ યાર્ડમાં બે દિવસથી લસણની આવક બંધ કરાઈ છે. હાલમાં અછતને કારણે ખેડૂતોને લસણના પૂરતા ભાવ મળી રહ્યા છે. હાલમાં ખેડૂતોને મળી મણદીઠ 2000થી 2600 રૂપિયા ભાવ મળી રહ્યો છે. આ જ ભાવ કાયમ રહે તો ખેડૂતો માટે સારા સમાચાર છે કારણ કે ગત વર્ષે લસણનું વેચાણ 150થી 200 રૂપિયા પ્રતિમણ થયું હતું.