ગરવા ગિરનાર ની ગોદ માં યોજાતી લીલી પરિક્રમ્મા ની તમામ તૈયારીઓ સરકારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. એક તરફ મહા વાવાઝોડાનો ખતરો હોવા છતાં તંત્ર, વન વિભાગ અને જૂનાગઢ મનપા તડામાર વ્યવસ્થાઓ ની ગોઠવણ કરી દીધી છે, ગિરનાર પર્વત ની ખીણ ના ગાઢ જંગલમાં યોજાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા માં ભાગ લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી રહ્યા છે.