પુષ્ય નક્ષત્રને ખરીદી માટે ઉતમ ગણવામાં આવે છે. આ વર્ષે બે દિવસ સોમવાર સાંજથી મંગળવાર સાંજ સુધી પુષ્ય નક્ષત્ર હોવાથી અન્ય બજારની જેમ સોના-ચાંદી બજારમાં ભીડ જોવા મળે છે. કેટલાક દિવસો એવા હોય છે જે કોઇ પણ વસ્તુની ખરીદી માટે શુભ માનવામા આવતા હોય છે. આવો એક દિવસ પુષ્ય નક્ષત્રનો દિવસ છે. સોમવારે સાંજે 5.32થી મંગળવાર સાંજના 4.39 સુધી આ નક્ષત્ર રહેશે. આમ બે દિવસ સોના-ચાંદીના વેપારીઓને ત્યાં ભીડ જોવા મળી રહી છે.