નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને મૂળ ગુજરાતી અને અમેરિકામાં વસતા એનઆરઆઈ પરિવારોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયેલા અનેક પરિવારો દર વર્ષે શિયાળામાં ભારત આવી જતા હોય છે. જોકે, આ તમામ પરિવારોને જ્યારે ખબર પડી કે, 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું છે ત્યારે તેઓ દ્વારા પોતાનાની અમેરિકા પરત જવાની તારીખોમાં બદલાવી દેવામાં આવી હતી અને જૂની ટીકીટ કેન્સલ કરાવીને નવી ટીકીટ લીધી છે.