મોદી સરકારના અતિ મહત્વકાંક્ષી નિર્ણયોમાંના એક એવા 'એક દેશ, એક કર'ના સપનાને સાકાર કરનાર GSTના અમલીકરણને આજે 2 વર્ષ પુરા થયા છે. GST લાગુ થયાના 2 વર્ષ બાદ પણ ગુજરાતને નુકસાન થઇ રહ્યું હોવાની કબૂલાત ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી છે. જીએસટીના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ જે એન સિંહ, ચીફ કમિશ્નર અજય જૈન, પી ડી વાઘેલા અને રાજ્યના ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.