દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે એડવાઇઝરી જારી કરાઈ છે. મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ કુકીંગ ઓઇલની વિગતો નોટીસ બોર્ડ પર લગાવવી પડશે. આ સિવાય હંગામી ધોરણે માંડવા અથવા શામિયાણા નાખી વેચાણ કરતા વેપારીઓએ પણ FSSAIનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવું પડશે.