બેઠકમાં કારોબારીનાં સભ્યો સાથે તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યાં. બેઠકમાં પાર્ટી સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરૂના માર્ગે સંઘર્ષ ચાલુ રાખશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો, સાથે રાહુલ ગાંધી AICCનાં અધ્યક્ષ સ્થાને રહી કાર્યકરોને માર્ગદર્શન આપે તે અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.