ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે રાજ્યસભા ચૂંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં કોંગ્રેસ બે સીટ જીતશે. કોણ ઉમેદવાર હશે તે નિર્ણય થયો નથી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઉમેદવારનો નિર્ણય કરશે. તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને વિશ્વાસમાં લઇ નિર્ણય કરાશે.