હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરની ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવતા કીધું છે કે આ સત્તા વિધાનસભાના સ્પીકરની છે આથી હવે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધાનસભાના સ્પીકર સમક્ષ ફરી પાછા અલ્પેશ ઠાકોર ને ગેરલાયક ઠેરવવાની રજૂઆત કરવામાં આવશે. જો અલ્પેશ ઠાકોર વહીપ નહીં સ્વીકારે તો તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ એ પણ જણાવ્યું કે ધારાસભ્ય તરીકે મળેલા તેમના સત્તાવાર નિવાસ સ્થાને તેમના રાણી ખાતેના નિવાસસ્થાને પણ આ વ્હીપ પંચનામું કરીને ચોંટાડવા માં આવશે.