કોરોનાથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે 22 માર્ચના રોજ એક દિવસના જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલ કરી છે. આવતીકાલે રવિવારે તેઓએ લોકોને સ્વેચ્છાએ કર્ફ્યૂ પાળવાની અપીલ કરી છે. ત્યારે કોરોના (corona virus) સામે પોતાનું અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે ભારતના નાગરિકોએ પણ આ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે.