રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકોને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસના લોકડાઉન દરમ્યાન રાજ્યભરમાં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરેની દુકાનો ચાલુ જ રહેવાની છે. અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે.