નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રિય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા “ઐતિહાસિક દાંડીયાત્રા” વિષયક ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર અત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જ્ન્મજયંતી ઉજવી રહ્યુ છે ત્યારે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થનાર ટેબ્લોના વિષયને પૂજય બાપૂના જીવન –કવનને રજૂ કરાયું હતું.