ઈમરાન ખેડાવાલાના વિધાનથી ગૃહમાં હોબાળો થયો, ઈમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો કે ચોક્કસ પ્રકારના લોકો લઘુમતીઓ પર હુમલો કરે છે.આ વિધાન બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. પ્રત્યુત્તર આપતા BJP MLA કુબેરસિંહ ડીંડોરે આરોપ લગાવ્યો હતો કે ‘લઘુમતી સમાજનાં લોકો દીકરીઓને ઉપાડી જાય છે’.સાથે જ કહ્યું હતું કે ‘લવ જેહાદની પ્રવૃત્તિથી બહાર આવવું જોઈએ’.