લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝડકો લાગી શકે છે. ઝઘડિયાના ઘારાસભ્ય છોટુ વસાવાએ મહત્વની જાહેરાત કરતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટુ નુકશાન થવાની શક્યતાઓ છે. છોટુ વસાવાએ ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પરથી કોંગ્રેસના અહેમદ પટેલ ચૂંટણી લડવાનો વિચાર કરી રહ્યા છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક પરના ઉમેદવાર અંગેની જાહેરાત કરી શકે છે.