પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં કિંજલ પરીખ સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ કિંજલ પરીખ હાર્દિકની અર્ધાંગિની બની છે. ખૂબ સામાન્ય રીતે અને અંત્યત અંગત વ્યક્તિઓ અને સંબંધીઓની હાજરીમાં હાર્દિક અને કિંજલના લગ્ન સંપન્ન થયા હતા. ત્યારે બંનેએ સાત ફેરા લઈને આજીવન સાથે રહેવાના વચન લીધા હતા.