રાજકોટના પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર યોજાઈ રહી છે. જેના સાતમા દિવસે વડાપ્રધાનના મીડિયા સલાહકાર તેમજ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અહીં સંબોધન કર્યું હતું. પોતાના વકતવ્યમાં તેમણે ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઉલ્લેખ કર્યો હતો.