ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેઓ દિવાળીના દિવસે બપોરે 2 વાગે સીએમ પદના શપથ લઈ શકે છે. તેમની સાથે જ ડેપ્યુટી સીએમ પદ માટે પણ શપથ ગ્રહણ થશે. આ પદ માટે જેજેપી નેતા નૈના ચૌટાલાનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓના શપથગ્રહણ સમારોહને લઈને તસવીર હજુ સ્પષ્ટ નથી. મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ દીવાળી પછી થઈ શકે છે. દુષ્યંત ચૌટાલા પહેલેથી જ જનનાયક જનતા પાર્ટીના વિધાયકક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ અને જેજેપીમાં નક્કી થયેલા ફોર્મ્યુલા મુજબ સીએમ ભાજપના અને ડેપ્યુટી સીએમ જેજેપીમાંથી હશે.