જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટએ છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોને આધારે હાઇકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. પૂર્વ એમએલએ છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે જામીન મંજુર કર્યા છે.